૧૫
૧ હે યહોવાહ, તમારા પવિત્રમંડપમાં કોણ નિવાસ કરશે?
તમારા પવિત્ર પર્વતમાં કોણ રહેશે?
૨ જે નિર્દોષતાથી ચાલે છે અને ન્યાયથી વર્તે છે
અને જે પોતાના હૃદયમાં સત્ય બોલે છે, તે.
૩ તે કદી પોતાની જીભે ચાડી કરતો નથી,
બીજાનું ખરાબ કરતો નથી,
પોતાના પડોશી પર તહોમત મૂકતો નથી.
૪ તેની દ્રષ્ટિમાં પાપી માણસ ધિક્કારપાત્ર છે
પણ જેઓ યહોવાહથી ડરે છે તેને તે માન આપે છે.
તે પોતાના હિત વિરુદ્ધ સોગન ખાઈને ફરી જતો નથી.
૫ તે પોતાનાં નાણાં વ્યાજે આપતો નથી.
જે નિરપરાધી વિરુદ્ધ લાંચ લેતો નથી.
એવાં કામ કરનાર કદી ડગશે નહિ.