૨૩
 ૧ યહોવાહ મારા પાળક છે; તેથી મને કશી ખોટ પડશે નહિ. 
 ૨ તે મને લીલાં બીડમાં સુવાડે છે 
તે મને શાંત પાણીની પાસે દોરી જાય છે. 
 ૩ તે મારા આત્માને તાજગી આપે છે; 
પોતાના નામની ખાતર તે મને ન્યાયીપણાને માર્ગે ચલાવે છે. 
 ૪ જો કે હું મૃત્યુની છાયાની ખીણમાં ચાલું, 
તોય હું કંઈપણ દુષ્ટતાથી બીશ નહિ, કેમ કે તમે મારી સાથે છો; 
તમારી લાકડી તથા તમારી છડી મને દિલાસો આપે છે. 
 ૫ તમે મારા દુશ્મનોની સામે મારે માટે ભોજન પીરસો છો 
તમે મારા માથા પર તેલ રેડ્યું છે; 
મારો પ્યાલો છલકાઈ જાય છે. 
 ૬ નિશ્ચે મારી જિંદગીના સર્વ દિવસો દરમ્યાન ભલાઈ તથા દયા મારી સાથે આવશે; 
અને હું સદા સર્વકાળ સુધી યહોવાહના ઘરમાં રહીશ.