૧૨૭
 ૧ જો યહોવાહ ઘર ન બાંધે તો, 
તેના બાંધનારાનો શ્રમ વ્યર્થ છે, 
જો યહોવાહ નગરનું રક્ષણ ન કરે તો, 
ચોકીદારની ચોકી કરવી કેવળ વ્યર્થ છે. 
 ૨ તમારું વહેલું ઊઠવું અને મોડું સૂવું 
અને કષ્ટ વેઠીને રોટલી ખાવી તે પણ વ્યર્થ છે, 
કેમ કે યહોવાહ પોતાના વહાલાઓ ઊંઘતા 
હોય તોપણ તેમને આપે છે. 
 ૩ જુઓ, સંતાનો તો યહોવાહ પાસેથી મળેલો વારસો છે 
અને પેટનાં સંતાન તેમના તરફનું ઇનામ છે. 
 ૪ યુવાવસ્થામાંના પુત્રો 
બળવાન વીર યોદ્ધાના હાથમાંના તીક્ષ્ણ બાણ જેવા છે. 
 ૫ જે માણસનો ભાથો તેનાથી ભરેલો છે તે આશીર્વાદિત છે. 
જ્યારે તે નગરના દરવાજે શત્રુઓ સામે લડશે, 
ત્યારે તેઓ લજ્જિત નહિ થાય.