૨૫
 ૧ પછી બિલ્દાદ શૂહીએ ઉત્તર આપ્યો અને કહ્યું, 
 ૨ ''સત્તા અને ભય તેમની પાસે છે; 
તે પોતાના ઉચ્ચ સ્થાનોમાં શાંતિ કરે છે. 
 ૩ શું તેમના સૈન્યોની કંઈ ગણતરી છે? 
અને કોના ઉપર તેમનું અજવાળું નથી પ્રકાશતું? 
 ૪ ઈશ્વરની સમક્ષ મનુષ્ય કેવી રીતે ન્યાયી ઠરે? 
અને સ્ત્રીજન્ય કેવી રીતે પવિત્ર હોઈ શકે? 
 ૫ જુઓ, તેમની દૃષ્ટિમાં ચંદ્ર પણ નિસ્તેજ છે; 
અને તારાઓ પણ નિર્મળ નથી. 
 ૬ તો પછી મનુષ્ય જે કીડા જેવો છે, 
અને મનુષ્યપુત્ર જે કીડો જ છે, તે કેવી રીતે પવિત્ર હોઈ શકે!''