૧૫૦
 ૧ યહોવાહની સ્તુતિ કરો. 
તેમના પવિત્રસ્થાનમાં તેમની સ્તુતિ કરો; 
આકાશો તેમના પરાક્રમનો પ્રદેશ છે, તેમાં તેમની સ્તુતિ કરો. 
 ૨ તેમનાં પરાક્રમી કાર્યો માટે તેમની સ્તુતિ કરો; 
તેમના ઉત્તમ માહાત્મ્ય પ્રમાણે તેમની સ્તુતિ કરો. 
 ૩ રણશિંગડાં વગાડીને તેમની સ્તુતિ કરો; 
સિતાર તથા વીણાથી તેમની સ્તુતિ કરો. 
 ૪ ખંજરી વગાડીને તથા નૃત્યસહિત તેમની સ્તુતિ કરો; 
સારંગી તથા શરણાઈ સાથે તેમની સ્તુતિ કરો. 
 ૫ તીવ્ર સૂરવાળી ઝાંઝો સાથે તેમની સ્તુતિ કરો; 
ઝાંઝોના હર્ષનાદ સાથે તેમની સ્તુતિ કરો. 
 ૬ શ્વાસોચ્છવાસ લેનારાં સર્વ યહોવાહની સ્તુતિ કરો. 
યહોવાહની સ્તુતિ કરો.