૧૪
 ૧ મૂર્ખ માણસ પોતાના મનમાં કહે છે, “ઈશ્વર છે જ નહિ.” 
તેઓ ભ્રષ્ટ થયા છે અને અન્યાયથી ભરેલાં ઘૃણાપાત્ર કામો કર્યાં છે; 
તેઓમાં સત્કાર્ય કરનાર કોઈ નથી. 
 ૨ કોઈ સમજનાર અને કોઈ ઈશ્વરને શોધનાર છે કે નહિ 
તે જોવાને યહોવાહે આકાશમાંથી 
મનુષ્યો પર દ્રષ્ટિ કરી. 
 ૩ દરેક માર્ગભ્રષ્ટ થયા છે; તેઓ પૂરેપૂરા મલિન થઈ ગયા છે; 
સત્કાર્ય કરનાર કોઈ નથી, ના એક પણ નથી. 
 ૪ શું સર્વ દુષ્ટતા કરનારને કંઈ ડહાપણ નથી? 
તેઓ રોટલીની જેમ મારા લોકોને ખાઈ જાય છે, 
પણ યહોવાહને વિનંતિ કરતા નથી. 
 ૫ તેઓ બહુ ભયભીત થયા, 
કારણ કે ઈશ્વર ન્યાયીઓની સાથે છે. 
 ૬ તમે ગરીબના વિચાર નિરર્થક કરી નાખો છો 
પણ યહોવાહ તો તેનો આશ્રય છે. 
 ૭ સિયોનમાંથી ઇઝરાયલનો ઉદ્ધાર આવે તો કેવું સારું! 
જ્યારે યહોવાહ પોતાના લોકોની આબાદી પાછી આપશે, 
ત્યારે યાકૂબ હર્ષ પામશે અને ઇઝરાયલ આનંદ કરશે.