૧૨૬
 ૧ જ્યારે યહોવાહ બંદીવાસમાં પડેલાઓને સિયોનમાં પાછા લાવ્યા, 
ત્યારે અમે સ્વપ્ન જોતાં હોઈએ એવું લાગ્યું. 
 ૨ ત્યારે અમારું મુખ હાસ્યથી ભરાઈ ગયું 
અને અમારી જીભ ગાયન કરવા લાગી. 
ત્યારે તેઓએ લોકોની વચ્ચે કહ્યું, 
“યહોવાહે તેઓને માટે મહાન કૃત્યો કર્યાં છે.” 
 ૩ યહોવાહે અમારે માટે મહાન કામ કર્યાં છે; 
અમે કેટલા ખુશ છીએ! 
 ૪ નેગેબના ઝરણાંની જેમ, 
હે યહોવાહ, અમારી સંપત્તિ પુનઃસ્થાપિત કરો. 
 ૫ જેઓ આંસુ પાડતાં પાડતાં વાવે છે, તેઓ હર્ષનાદસહિત લણશે. 
 ૬ જે કોઈ મુઠ્ઠીભર બીજ લઈને રડતાં રડતાં વાવવા જાય છે, 
તે પોતાની સાથે પૂળીઓ લઈને આનંદ સાથે પાછો આવશે.