૧૫૦
૧ યહોવાહની સ્તુતિ કરો.
તેમના પવિત્રસ્થાનમાં તેમની સ્તુતિ કરો;
આકાશો તેમના પરાક્રમનો પ્રદેશ છે, તેમાં તેમની સ્તુતિ કરો.
૨ તેમનાં પરાક્રમી કાર્યો માટે તેમની સ્તુતિ કરો;
તેમના ઉત્તમ માહાત્મ્ય પ્રમાણે તેમની સ્તુતિ કરો.
૩ રણશિંગડાં વગાડીને તેમની સ્તુતિ કરો;
સિતાર તથા વીણાથી તેમની સ્તુતિ કરો.
૪ ખંજરી વગાડીને તથા નૃત્યસહિત તેમની સ્તુતિ કરો;
સારંગી તથા શરણાઈ સાથે તેમની સ્તુતિ કરો.
૫ તીવ્ર સૂરવાળી ઝાંઝો સાથે તેમની સ્તુતિ કરો;
ઝાંઝોના હર્ષનાદ સાથે તેમની સ્તુતિ કરો.
૬ શ્વાસોચ્છવાસ લેનારાં સર્વ યહોવાહની સ્તુતિ કરો.
યહોવાહની સ્તુતિ કરો.